Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

શાપર-વેરાવળમાં વૃક્ષારોપણ

 શાપર-વેરાવળઃ ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્‍મ દિવસ નિમિતે જય સરદાર યુવા ગ્રુપ દ્વારા આનંદી આશ્રમ ૨૭ નેશનલ હાઈવે - શાપર (વેરાવળ) ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. શાપર-વેરાવળ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનના ચેરમેન રમેશભાઈ ટીલાળા, સેક્રેટરી વિનુભાઈ ધડુક, અશોકભાઈ ટીલવા, ધીરૂભાઈ ધાબલીયા તેમજ ફાલ્‍કન ગ્રુપના ડીરેકટર હસુભાઈ સુવાગીયા તેમજ આનંદી આશ્રમના મહંત મસ્‍તરામબાપુની ઉપસ્‍થિતિમાં જય સરદાર યુવા ગ્રુપના મિત્રો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું અને રમેશભાઈ ટીલાળાની અપીલને માન આપીને ગ્રુપના મિત્રોએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્‍પ કરેલ. વૃક્ષારોપણ કર્યુ તે તસ્‍વીર.

(10:32 am IST)