Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પોરબંદરમાં દરિયાઇ નવું વર્ષ નારોજની ખારવા સમાજ દ્વારા પરંપરાગત ઉજવણી

અસ્માવતી ઘાટે દરિયાદેવને પુષ્પ દુધ અને સાકર અર્પણ કરીને પુજન

પોરબંદર તા.૧ : વહાણવટાને ૩૬પ દિવસ પૂર્ણ થતા દરિયાઇ નવું વર્ષ નવા નારોજની ખારવા સમાજ દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઇ ખુડાઇ તથા પંચ પહેલ ટ્રસ્ટીઓ બોટ એસોસીએશન તથા જ્ઞાતિ આગેવાનો અસ્માવતી ઘાટે જઇને દરિયાદેવને પુષ્પ દુધ અને સાકર અર્પણ કરીને પુજન કરેલ હતુ. તેમજ પ્રાર્થના કરેલ કે દરિયાઇ નવા વર્ષથી અમારી રક્ષા કરજો અને ધંધામાં બરકત આપજો. નવા નારોજ ઉજવણીમાં જ્ઞાતિજનો જોડાયા હતા.

(1:12 pm IST)