Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પોરબંદરમાં વૈશાલી હત્યા કેસમાં સાસુ-સસરાની ધરપકડને બદલે પુછપરછ માટે બેસાડી રાખતા તર્ક વિતર્કો

હત્યા પહેલા અમેરીકાથી આવેલ નણંદ હજુ ફરારઃ વૈશાલીના પતિ એક દિવસની રીમાન્ડ ઉપર

પોરબંદર, તા., ૧૯: લોહાણા પરીણીતા વૈશાલીબેન પ્રશાંત ચોલેરાની હત્યામાં પતિ સહિત ૪ સાસરીયાઓ સામે ગુન્હો નોંધ્યા બાદ વૈશાલીબેનના સાસુ સસરાને બે દિવસથી પોલીસ સ્ટેશને પુછપરછ માટે બોલાવાય અને ધરપકડ કરવાને બદલે બેસાડી રાખવામાં આવતા અનેક તર્ક-વિતર્કો થઇ રહયાની તેમજ વીઆઇપી સગવડતા અપાતાની ચર્ચા થઇ રહી છે.

હત્યા સંબંધે પતિ પ્રશાંતની ૩ દિવસની રિમાન્ડની માંગણી કરતા કોર્ટે એક દિવસની રિમાન્ડ મંજુર કરી છે. હત્યાના અન્ય આરોપી વૈશાલીબેનના સસરા રાજેશ ચોલેરા અને સાસુ કામીનીબેન બે દિવસથી પોલીસ સ્ટેશનના મહેમાન બન્યા છે. હત્યાના બનાવ પહેલા અમેરીકાથી આવેલ વૈશાલીબેનની નણંદ પુજા હજુ ફરાર છે. હત્યા થયેલ વૈશાલીબેનના પિતાની પોલીસ ફરીયાદના આધારે પતિ ચંદ્રેશ સસરા રાજેશ ચોલેરા, સાસુ કામીનીબેન અને નણંદ પુજા સામે ગુન્હો નોંધાયો છે.

(1:08 pm IST)