Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ધોરાજી સ્વામીનારાયણ મંદિર ગુરૂપુર્ણિમા નિમિતે ગુરૂપૂજન

 ધોરાજી : સ્વામીનારાયણ મંદિર ખાતે ગુરૂપુર્ણિમા નિમિતે વિશાળ સંખ્યામાં હરિભકતો માટે પુજા અર્ચના કથા વાર્તા યોજાઇ. આ તકે સ્વામીનારાયણ મંદિર ધોરાજીના ગુરૂવર્ય પુ.પ્રસાદ પુરાણી સ્વામી શ્રી મોહન પ્રસાદદાસજીએ કથા વાંચન કરેલ એમાં સંતોએ ગુરૂ અને શિષ્યની ફરજો વિશે માર્ગદર્શન આપેલ હતુ. આ તકે સંતોએ વરૂણદેવને માનવા ખાસ પ્રાર્થના યોજેલ હતી. આ ગુરૂવંદના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં હરિભકતો હાજર રહેલ મહાપ્રસાદનો લાભ લીધો હતી. સંતશ્રી પુરાણી સ્વામી મોરડીપ્રસાદજી તથા શાસ્ત્રી કોઠારી ભકિતપ્રસાદદાસજી તથા પુજારી સ્વામી બાલકૃષ્ણદાસજી આ તકે કિશોરભાઇ માવાણી, ભાવેશભાઇ માવાણી, અશોકભાઇ વઘાસીયા, જીતુભાઇ હિરપરા, હરીભાઇ વાગડીયા સહિતના હાજર રહી ગુરૂવંદન અને ભકિતભાવથી દર્શનનો લાભ લીધો હતો.

(11:38 am IST)