Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જામજોધપુરમાં રોડના ખાડો બુરવા પાલિકા ધ્યાન આપતી નથી : અકસ્માતનો ભય

જામજોધપુર તા.૧૯ : સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર થયેલ ખાડા પ્રશ્ને રજૂઆત છતા તંત્ર ધ્યાન આપતુ નથી.

સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર સી.સી.રોડનું કામ નબળી ગુણવતાની ફરીયાદો ઉઠી છે. રોડની જાડાઇ ખૂબ જ ઓછી છે આ રોડ ઉપર ખાડા પડી ગયેલ છે.

વૃધ્ધોને આ રોડ પર નીકળવુ મુશ્કેલ થાય છે તેમજ આ ગામથી માર્કેટીંગ યાર્ડ જવા માટે તથા જામજોધપુરથી બીજા ગામ જવા માટેનો મુખ્ય રસ્તો હોય વાહનની અવરજવર રહે છે. જેથી વાહન પણ સારી રીતે નિકળી શકતા નથી. અહિ ગંભીર અકસ્માતનો ભય રહે છે. નગરપાલીકા તંત્રને નગાભાઇ ગઢવી સહિત લતાવાસીઓએ એક વર્ષ થયા રજૂઆત કરી લેખીત આપેલ છે છતા તંત્ર ધ્યાન દેતુ નથી.

(11:32 am IST)