Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

બગસરા નાગરિક સહકારી મંડળીની રાજકોટ શાખા દ્વારા વીમા નીધી -સભાસદ ભેટ વિતરણ

રાજકોટ : શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. શાખા રાજકોટના સભાસદ સ્વ. અમૃતલાલ સુંદરજીભાઇ મોરાણીયાનું અવસાન થતા તેમના વારસદાર પ્રતિકભાઇ અમૃતલાલ મોરાણીયાને મંડળી તરફથી ''બાજપાઇ'' સભાસદ વિમા નિધીની રકમ રૂા ૨૫ હજાર નો ચેક અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે મંડળીના આંતરીક ઓડીટર શ્રી અરવિંદભાઇ નાગેચા તથા ડિરેકટર ભરતભાઇ ગઢીયા તથા મુકેશભાઇ ઠાકર તેમજ રાખા સેક્રેટરી શ્રી શૈલેષભાઇ દેસાઇ સર્વ હાજર રહયા હતા.

 મંડળીની રાજકોટ શાખા ખાતે સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમ હતો, જેમાં આંતરીક ઓડીટર અરવિંદભાઇ નાગ્રેચા તથા ડિરેકટર ભરતભાઇ ગઢીયા તથા મુકેશભાઇ ઠાકર ના હસ્તે ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું . ે એડવાઈઝરી બોર્ડ મેમ્બર અરવિંદભાઇ જોગી, ભાવિનભાઇ કોઠારી, સતીષભાઇ રાવલ તથા શાખા સેક્રેટરી શૈલેષભાઇ દેસાઇ  ઉપસ્થિત રહયા હતા. સભાસદોને મંડળી દ્વારા પસંદગીના વિકલ્પ મુજબ ભેટ મંડળીની ઓફીસે, આર્ય સમાજ સામે, ઉત્તમ ફર્નીચર સામે, વિજય પ્લોટ શેરી નં.ર૩ કોર્નર, ઢેબર રોડ (ફોન નં. ૦૨૮૧ ૨૨૨૨૦૫૭) ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

(11:29 am IST)