Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

માળીયા હાટીનાના પાનકવા ગીર ગામમાં દિવાલ પડતા ૬ બકરાના મોતઃ ખેડૂતોને વળતર આપવા માંગ

માળીયા હાટીના તા. ૧૯ :.. માળીયા હાટીનાના પાનકવા ગીર ગામમાં વાવાઝોડાના કારણે રબારી હરદાસભાઇ ડાયાભાઇ રાડા, ની દીવાલ ધરાશાયી થતાં એક સાથે ૬ બકરાના મોત થયા હતા અને ૬ ઘાયલ થયા હતાં.

જયારે માળીયા હાટીનામાં ૧પ થી ર૦ વૃક્ષો અને ૪૦ થી પણ વધારે વીજ થાંભલા પડી ગયા હતાં.

કોંગ્રેસના પ્રમુખ અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પિયુષભાઇ પરમારે જણાવે છે કે વાવાઝોડાના લીધે માળીયા વિસ્તારના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન  થયું છે.

આંબાના બગીચા, કેળના ઝડવા, નાળીયેરી, મગ, અડદ, તલ, સહિતના પાકનો સોથ વળી ગયો છે તો સરકારે તાત્કાલીક નુકસાનનું સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની પિયુષભાઇ પરમારે માગણી કરી છે.

(11:20 am IST)