Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ભાવનગરથી ૧૪૫૦ પરપ્રાંતીયને લઇ ટ્રેન ગોરખપુર રવાના

ભાવનગરઃભાવનગર જિલ્લામાંથી પરપ્રાંતીય લોકોને લઈને આજે બપોરે વધુ એક ટ્રેન ગોરખપુર જવા રવાના થઈ હતી.ભાવનગર જિલ્લાના ૧૪૫૨ પરપ્રાંતીય લોકો આ ટ્રેન મારફત તેમના વતન જવા રવાના થયા હતા.ભાવનગર રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં ૧૧ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ગોરખપુર,લખનઉ સહિતના શહેર માટે દોડાવવામાં આવી છે.લોકડાઉનના ચોથા ચરણમાં ઉદ્યોગ-ધંધા ખોલવાની મંજૂરી માટેની તૈયારી વચ્ચે પરપ્રાંતીય લોકો વતન જતા રહેતા ઉદ્યોગકારોની મુશ્કેલી વધશે.

(11:39 am IST)