Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ભાવનગરમાં કોરોના પોઝીટીવ કુલ કેસ ૧૧૧

અત્યાર સુધીમાં ૮ વ્યકિતના મોત થયાઃ જીલ્લામાં ૭૪ દર્દીઓ સ્વસ્થ

ભાવનગરઃ શહેરનાં ગાયત્રીનગર વિસ્તાર સત્યનારાયણ સોસાયટીમાં કોરોનાનો પોઝીટીવ કેસ આવતા તંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવેલ ડી.વાય.એસ.પી મનીષ ઠાકર અને અન્ય અધિકારીઓએ બેરીટેક અને બંદોબસ્ત માટે સુવિધા આપી હતી. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી)

 ભાવનગર, તા.૧૯: ગત તા.૩ મે ના રોજ ભાવનગરના પખાલીવાડ, ભાવનગર ખાતે રહેતા ૪૫ વર્ષીય મહેતાબ મહેબુબભાઈ પરમાર અને તા.૪ મે ના રોજ ભાવનગરના પખાલીવાડ, અમિપરા ખાતે રહેતા ૧૫ વર્ષીય મેહતાબ મહેબુબભાઈ પરમારના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામા આવેલ.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ બન્ને દર્દીઓનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે હોસ્પિટલમાથી રજા મેળવનાર દર્દીઓને છેલ્લા ૩ દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા ૧૦ કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા. સરકાર દ્વારા આ બન્ને દર્દીઓને વિનામુલ્યે એક એન-૯૫ માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક  હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી. આ બન્ને દર્દીઓએ હોસ્પિટલમાથી ડિસ્યાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

જયારે આજે ફિલ્ડ સર્વેલન્સ દરમ્યાન ઉગલવાણ ગામ ખાતે રહેતા ૬ વર્ષીય નૈતિક જગદિશભાઈ નકુમ, અને ૭ વર્ષીય કુજન જગદિશભાઈ નકુમ તેમજ મહાનગરપાલિકા વિસ્તારમા ભરતનગર ખાતે રહેતા ૬૫ વર્ષીય વિણાબેન જયંતિભાઈ જયંતિભાઈ ભટ્ટ અને સત્યનારાયણ સોસાયટી, ભાવનગર ખાતે રહેતા ૬૧ વર્ષીય દર્શનલાલ ટીનુમલ રંગલાણીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને હાલ વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામા આવેલ છે.

આમ  ર૨ ભાવનગર શહેરી વિસ્તારના દર્દી ડિસ્ચાર્જ થતા જિલ્લામા નોંધાયેલા ૧૧૧ કેસ પૈકી હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૭૪ દર્દીઓને ડિસ્યાર્જ કરવામા આવ્યા છે તેમજ ૮ દર્દીઓનુ અવસાન થયેલ છે. જયારે ૧ વ્યકિત કોરોનામુકત થતા અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરેલ છે.

(11:31 am IST)