Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

પોરબંદરની બજારો ખુલતા લોકોની ભીડ ઉમટી : પાનના ગલ્લા બંધ રહેતા બંધાણીઓમાં નિરાશા

સોસીયલ ડીસ્ટ્સનના ધજાગરા પણ ઉડી રહ્યા છે

પોરબંદર : આજે લોકડાઉન 4.0 માં સરકારે પાન માવાના ગલ્લા ખોલવાની છૂટછાટ આપેલ છે. લોકો પાન માવા લેવા ઘરની બહાર નીકળી પડ્યા છે. ગલ્લા નહીં ખુલતા લોકો નિરાશ થયા છે સાથે સોસીયલ ડીસ્ટ્સનના ધજાગરા પણ ઉડી રહ્યા છે. વેપારીઓએ મોડે સુધી દુકાનો નહીં ખોલતા ગ્રાહકો નિરાશ થઇ ટોળામાં એકઠા થવા લાગ્યા છે. સતત 54 દિવસ કરતા વધુ સમય થી ઘરમાં પુરાય રહેલા લોકો આજે ગલ્લા ખુલ્યાની જાણ થતા ઘરની બહાર ડોટ મૂકી હતી પરંતુ પોરબંદરમાં હજુ સુધી ગલ્લા નહીં ખુલતા ગ્રાહકો નિરાશ જોવા મળતા હતા

(11:07 am IST)