Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મોરબીના બગથળામાં વિજયભાઇના હસ્તે ૬૬ કેવી વીજ સબ સ્ટેશનનું લોકાર્પણ કરાશે

મોરબીઃ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા. ૨૫ ના રોજ બગથળા ગામની મુલાકાતે આવશે જયાં જળ સંચય અભિયાનના કામોનું નિરીક્ષણ કરવામાં આવશે તેમજ વિવિધ વિકાસ કાર્યોના લોકાપર્ણ પણ સીએમના હસ્તે કરવામાં આવશે.

રાજયના, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા. ૨૫ ના રોજ મોરબીના બગથળા ગામની મુલાકાતે પધારશે જે પ્રસંગે જીલ્લા કલેકટર આર.જે.માંકડિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારા, તેમજ હિરેનભાઈ પારેખ, ડીડીઓ એસ.એમ. ખટાણા, અધિક કલેકટર કેતન જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે બગથળા ગામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કરશે તેમજ પુર સંરક્ષણ દિવાલનું ખાતમુર્હત અને નવનિર્મિત ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાપર્ણ કરશે.

(12:50 pm IST)