Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

મોરબીના લીલાપર કેનાલ રોડ પર ૨૬ વર્ષીય યુવાને આપઘાત કર્યો.

કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ૨૬ વર્ષીય શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના લીલાપર કેનાલ રોડ પર કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ૨૬ વર્ષીય શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

   મૂળ યુપીના વતની અને હાલ લીલાપર કેનાલ રોડ પર આવેલ મહર્ષિ ટેક્સ ટાઈલ્સ નામના કારખાનામાં રહીને મજુરી કરતા નરેન્દ્ર અતારસિંહ રાજપૂત (ઉ.વ.૨૬) નામના યુવાને ગત તા. ૧૭ ના રાત્રીના દશેક વાગ્યાથી તા. ૧૮ ના સવાર દરમિયાન પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

   
(10:28 pm IST)