Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

જામનગરમાં લોહાણા સમાજનું વિસ્‍તૃતિકરણ થશે

સમગ્ર સમાજના વડીલો, સમાજ શ્રેષ્‍ઠીઓ દ્વારા આવકાર

જામનગર,તા. ૧૯: શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન દ્વારા અને અનેક વિધ જ્ઞાતિ સંગઠન સમાજનાં ઉતરોતર વિકાસમાં જોડાયેલા છે.

શહેરના લોહાણા સમાજની આ વિકાસ યાત્રા વધુ આગળ વધે અને વિશિષ્ટ સંગઠનો સમાજની એકતા માટે જોડાવવા તત્‍પર બન્‍યા છે.

બેડીમાં લોહાણા સમાજનાં અનેક પરિવારો વસે છે,પરંતુ વ્‍યવસાય અને અભ્‍યાસ માટે જામનગરમાં સ્‍થાઈ થઈ રહ્યા છે તેથી બેડી ગામના લોહાણા સમાજે બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલીનીકરણ કરવા મીટીંગ બોલાવી ઠરાવ કરવામાં આવેલ. તે ઠરાવ મુજબ બેડી લોહાણા મહાજનનો વહીવટ જામનગર લોહાણા મહાજનને સુપરત કરી સંભાળે તે માટે  પ્રમુખ તેમજ હોદેદારોને બેડી મુકામે રામ મંદિર લોહાણા મહાજનવાડીમાં રામનવમીના દિવસે આ સુંદર કાર્ય અને નિર્ણયને વધાવવા માટે પધારવા આમંત્રિત કરેલ જેને લોહાણા મહાજનનાં પ્રમુખ જીતુભાઈ લાલ અને સમગ્ર હોદેદારોએ સ્‍વીકારેલ અને નજીકના દિવસોમાં બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલીનીકરણ કરવા સમાજનાં વડીલોની અને કમિટી સાથે ચર્ચા કરી આ બાબતે આગળ વધી બેડી લોહાણા મહાજનની લાગણીને સ્‍વીકારવામાં આવશે તેમ  શ્રી જીતુભાઈ લાલે લાગણી વ્‍યક્‍ત કરતાં ખુશીને લહેર વ્‍યાપી ગઈ હતી.

(10:05 am IST)