Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સૌરાષ્ટ્રમાં કૉંગેસની લહેર :પીએમ મોદીએ ત્રણવખત ચકકર લગાવ્યા :લલિત વસોયા

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો માહોલ છે તેને ડેવલોપ કરવા રાહુલજી આવ્યા

ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પોરબંદરના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

   લોકસભા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બન્ને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની તરફેણમાં લહેર છે. સૌરાષ્ટ્રમાં પીએમ મોદી 3 વખત ચક્કર લગાવી ચૂક્યા છે.

   વધુમાં તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો માહોલ છે તેને ડેવલોપ કરવા રાહુલજી આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના મુદ્દાઓમાં રાષ્ટ્રવાદ છે. ભાજપ રાષ્ટ્રવાદનો માત્ર દેખાડો કરી રહી છે. ખેડૂતોના મુદ્દા પણ મહત્વના છે. લોકો ભાજપને જાકારો આપશે.

(1:22 am IST)