Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છૂટયા બાદ ફરાર થયેલ ભરત પારઘી ઝડપાયો

વઢવાણ, તા. ૧૯ :. જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલી પેરોલ ફર્લો સ્કવોડને રાજકોટ જેલમાંથી નવ માસ પહેલા પેરોલ પર છુટયા બાદ ફરાર આરોપી અંગે બાતમી મળી હતી.આથી રાજકોટ હાઈવે પર મેકશન સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જેમા રાજકોટ જેલમા પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા અને પેરોલ જમ્ય આરોપી રતનપરના ગુરૂ દત્તાત્રેય મંદિર સામે રહેતા ભરતભાઈ બચુભાઈ પારઘીને ઝડપી લીધો હતો. આ શખ્સને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી દેવાયો છે. આ કામગીરી પી.એસ.આઈ. એ.એ. જાડેજા, નિકુલસિંહ, અજયવીરસિંહ સહિતનાએ કરી હતી.(૨-૧૪)

(1:03 pm IST)