Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ચોટીલાનાં પિયાવાની સીમમાં પથ્થરના ઘા ઝીંકીને પિતાની હત્યા કેસમાં પુત્રની ધરપકડ

સીમમાં ખેતરમાં ખાડો ખોદવા બાબતે પિતા પુત્ર વચ્ચેના ઝઘડો થયૉ હતો

ચોટીલા:અહીંના પિયાવા ગામની સીમમાં ખેતરમાં ખાડો ખોદવા બાબતે પિતા પુત્ર વચ્ચેના ઝઘડામાં પથ્થરના ઘા થી પિતાનું મૃત્યુ થતા હત્યારા પુત્રની ધરપકડ કરી છે 

પોલીસ મથકે પ્રાપ્ત વિગત મુજબ ગત તાં 14/4નાં ત્રંબોડા ગામના વતની દેવીપૂજક અમરસીભાઇ મધુભાઇ સાડમીયા (. . 60 )ખાડા ખોદવાનું કામ કરી રહયા હતા ત્યારે નાના પુત્ર માવજીએ બોરડી ખોદવાનું કહેતા પિતા પુત્રને રકઝક સાથે બોલાચાલી અને ઝઘડો થતા પુત્રએ પથ્થરનો ધા મારતા અમરસીભાઇને માથામાં ગંભીર ઈજા થયેલ જેઓને પ્રાથમિક સારવાર ચોટીલા આપી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતા સારવાર દરમિયાન તા. 17નાં ઇજાગ્રસ્તનું મૃત્યુ નિપજતા મૃતકના પત્ની કંકુબેને સગ્ગા પુત્ર સામે ફરિયાદ આપતા ચોટીલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી 

  ચોટીલા પોલીસે ગણતરીની કલાકમાં બાતમી મેળવી આરોપી હત્યારા નરાધામ પુત્રને ચામુંડા પર્વત પાછળથી પકડી પાડી ધરપકડ કરી પુછપરછ કરતા આરોપીએ પિતાની હત્યાનું  કલંક કબુલી પસ્તાવો વ્યક્ત કરેલ બનાવ અંગે વધુ તપાસ પીઆઇ પી. ડી પરમારે હાથ ધરેલ છે

(11:27 pm IST)