Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ત્રિમૂર્તિ હોસ્પિટલ તથા એચ.સી.જી. હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે

જુનાગઢ ખાતે સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયોઃ ૩૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો

જૂનાગઢ તા.૧૯: શહેર તથા આજુબાજુના ગામો તથા વિસ્તારના લોકો માટે ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન, ત્રિમૂર્તિ હોસ્પિટલ તથા એચ.સી.જી. હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિઃશુલ્ક નિદાન તથા દવા માટનો કેમ્પ યોજાયો, જેમાં ૩૦૦થી વધુ દર્દી દેવોએ આ કેમ્પનો લાભ લીધો. આ ઉપરાંત ડો.ડી.પી. ચીખલીયા દ્વારા નિઃશુલ્ક એન્ડોસ્કોપી પણ કરવામાં આવી હતી. આ કેમ્પ ડો.ડી.પી. ચીખલીયા, ડો. આમીર કાઝમી, ડો. અમિત ભુવા, ડો. નીરજ મહેતા, ડો. એસ.ડી. ભાવસાર, ડો. મિતલ દવે, ડો. શૈલેષ જાદવ, ડો. વત્સલ ગજેરા, ડો. નીરૂબેન પટોળીયા, ડો. રમ્યતા દયાતર સહિતના ખ્યાતનામ ડોકટરોએ સેવા આપી હતી.

(3:58 pm IST)