Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પાલીતાણામાં કારની ડીક્કીમાંથી બંને બાળકોની લાશ મળ્યાના છ મહિના થ્યા છતાં ન્યાય નહીં મળતા માતાનો ઝેરી દવા પી આપઘાત

પાલીતાણામાં કારની ડીક્કીમાંથી બન્ને સંતાનોની લાશ મળી આવ્યાને મહિના વીતવા છત્તા ન્યાય નહિ મળતા બાળકોની માતાને માઠું લાગી જતા ઝેરી દવા પીને આપઘાત કર્યો છે અંગેની વિગત મુજબ પાલીતાણામાં પરિમલ ચોક વિસ્તારમાં 6 મહિના પહેલા કારની ડિક્કીમાંથી બે બાળકોની લાશ મળી હતી. અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યારે યોગ્ય ન્યાય મળતા બંન્ને બાળકોની માતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.પોલીસે મૃતકની લાશ ને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે

   પાલીતાણાના રેમાનદાદાની વાડીમાં રહેતા અને કલરકામ કરી ગુજરાન ચલાવતા સલીમભાઈ ઉસ્માનભાઈ કુરેશીના બાળકોનું કોઈ અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ બાદમાં બંને બાળકોની હત્યા કરાયેલી લાશ પરિમલ વિસ્તારમાં એક અવાવરું જગ્યા પર પાર્ક કરેલી જુની ભંગાર હાલતમાં પડેલી કારની ડીકીમાંથી ભારે દુર્ગંધ મારતી હાલતમાં મળી આવી હતી. ઘટના બાદ બાળકોના માતા-પિતા ન્યાય માટે સતત ગુહાર લગાવી રહ્યા છે. પરંતુ છેલ્લા મહિનાની પોલીસ તપાસ ઠેરની ઠેર રહી હતી. ઘટનાના 6 મહિના વીતવા છતાં પણ પરિવારને ન્યાય નહિં મળતા બાળકોની માતાને લાગી આવતા તેને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

(10:51 pm IST)