Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મોરબી ફાયરીંગ હત્યાની ફરિયાદ

ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ, હત્યાનો પ્રયાસ, હત્યા તેમજ આર્મ્સ એક્ટ અને સમાન ઈરાદો ધરાવવાની કલમ ૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી

     મોરબી:    પંચાસર ગામે ચકચારી ફાયરીંગ અને હત્યાના બનાવમાં ઈજાગ્રસ્ત પરાક્રમસિંહએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી સહદેવસિંહ લાલુભા ઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ કાકો ભત્રીજો રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા (સદસ્ય તા.પં.) એ છ આરોપીઓએ રેતી ઉપાડવા બાબતે બોલાચાલી થઇ હોય જેમાં રાજ ઝાલા નામના આરોપીને મરણ જનાર સહદેવસિંહ ઝાલા સાથે ફોનમાં ગાળાગાળી થઇ હતી જે બાબતે કૌટુંબિક ભાઈની છત ભરાતી હોય તે સ્થળે આવી રાજ ઝાલાએ મરણ જનાર સહદેવસિંહ ઝાલાને તું મને મારી નાખીશ કહીને લમણે રિવોલ્વર રાખી હતી અને આટલી જ વાર લાગે તેમ બોલી ત્યાં જ ગોળીઓ ધરબી દઈને હત્યા કરી હતી તો અન્ય આરોપીઓએ હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને આરોપીઓએ ૩ નાની અને ત્રણ મોટી એમ છ હથિયારો સાથે આવી બઘડાટી બોલાવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ, હત્યાનો પ્રયાસ, હત્યા તેમજ આર્મ્સ એક્ટ અને સમાન ઈરાદો ધરાવવાની કલમ ૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે તો રેતી ઉપાડવા ઉપરાંત જુનો જમીન મામલેનો વિવાદ તેમજ રાજકીય ડખ્ખો પણ હત્યા માટે કારણભૂત હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.`

(9:05 pm IST)