Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

શિવરાત્રી મેળામાં ભવનાથ ખાતે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો

મૃતકની ઓળખ માટે પોલીસ તપાસ

 જુનાગઢ, તા. ૧૯ : શિવરાત્રી મેળામાં ભવનાથ ખાતે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ભવનાથ તળેટીમાં હાલ શિવરાત્રી મેળો ચાલી રહ્યો છે ત્યારે તળેટીમાં ગિરનાર પ્રવેશ દ્વાર પાસે આવેલ આનંદ આશ્રમની પાછળ ટેકરી નજીક અજાણ્યા વૃદ્ધની લાશ પડી હોવાની જાણ થતા ભવનાથ પોલીસ અને વન વિભાગનો કાફલો દોડી ગયો હતો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. મરનારની ઉંમર ૬પ વર્ષ આસપાસ હોવાનું જણાયું છે.મૃતકની ઓળખ અને મૃત્યુ પાછળનું કારણ મેળવવા માટે ઇન્ચાર્જ પીએસઆઇ એચ.વી. રાઠોડે તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)