Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પીપાવાવ પોર્ટ પાસે કંપનીમાં કામ કરતા અનિલ ત્યાગીની હત્યા કરનારાની શોધખોળ

રાજુલા, તા. ૧૮ : રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક આવેલ લોજીસ્ટિકસ પાર્ક કંપની પાસે થી અનિલકુમાર આસારામ ત્યાગી અંદાજે ઉંમર વર્ષ ૬૦  નો ઉતરપ્રદેશનો રહેવાશી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે શખ્સની લાશ મળી આવતા આ ઘટનાથી આ વિસ્તારમાં ચકચાર જાગી છે

રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક આવેલા ટ્રાન્સ લોજિસ્ટિકસ કંપની પાસે એક પડતર રહેલી જમીન માં ઢાંકેલી હોવાનુ મરીન પોલીસ ને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગય હતી લાશને બહાર કાઢી ને તેને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવેલ પોસ્ટમોર્ટમ કરતા એવું જાણવા મળ્યું હતું કે આ અનિલકુમાર ત્યાગી નું પાંચ થી છ દિવસ મર્ડર કરીને કોઈ અજાણ્યા લોકો દ્વારા આ લાશને દાઢી દીધેલ હતી અનિલકુમાર આસારામ ત્યાગી ઉતરપ્રદેશનો રહેવાશી છે તેવો ટ્રાન્સ લોજીસ્ટિકસ પાર્ક કંપની પાંચ થી છ વર્ષ થી આ કંપની નોકરી કરતો હતો પોલીસ   તપાસમાં જાણવા મળ્યું છે અજાણ્યા  શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)