Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

અંતે જૂનાગઢમાં માલધારી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો : સાંસદ રમેશ ધડુક અને ચુડાસમાની સમજાવટથી આંદોલન સમેટાયું

એલઆરડીમાં અન્યાય મુદ્દે આપઘાત કેસમાંસમાધાન : સરકાર સાથે રબારી સમાજની બેઠક યોજાશે

જૂનાગઢ : આખરે જૂનાગઢમાં એલઆરડીમાં અન્યાય મુદ્દે આપઘાત કેસમાં સમાધાન થયું છે. પોરબંદરના સાસંદ રમેશ ધડુકે દરમિયાનગીરી કરતાં માલધારી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો  અને અંતિમ સંસ્કાર કરવા તૈયાર થયા હતા સાંસદ  રમેશ ધડુકે જૂનાગઢ પહોંચી રબારી સમાજના અગ્રણીઓ સાથે સાથે ચર્ચા કરી હતી જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પણ સાથે હતા. બંને સાંસદોએ લોકોને આંદોલન પુરુ કરવા સમજાવવાના પ્રયાસો કર્યા હતા અને બાદમાં  26 જાન્યુઆરી બાદ સરકાર સાથે રબારી સમાજની બેઠક યોજવાનું જણવવામાં આવતા લોકોએ આંદોલન સમેટી લીધું હતું .

 

(12:08 am IST)