Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

વિઠ્ઠલભાઇ રાદડિયાની તંદુરસ્તી માટે ખોડલધામની પદયાત્રા

ધોરાજીઃ પોરબંદરના સાંસદ અને સૌરાષ્ટ્રના લોક લાડીલા નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાના દીર્ધાયું અને તંદુરસ્તી માટે જામકંડોરણાના દુધી વદર ગામના યુવાનોએ ખોડલધામ ખાતે જવાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ સમાજના ૧૦૦ થી વધારે યુવાનોએ ભાગ લીધેલ જેમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ ખોડલધામના આગેવાનો જોડાયા હતા. આ પદયાત્રાનો હેતું સમાજ મોભી વિઠ્ઠલભાઇ રાદડિયાની તબિયત ઝડપી સુધારો આવે તે માટે પગપાળા યાત્રા રાખી હતી.બંસી ગ્રુપ મોટા દુધીવદરથી ખોડલધામ પગપાળા યાત્રાએ ગયેલા યુવાનો નજરે પડે છે.

(12:04 pm IST)