Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ધોરાજીઃ લવ જેહાદના ગુન્હામાં આરોપીની જામીન અરજી રદ

ધોરાજી,તા.૧૮: ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલ કુમાર શર્મા સમક્ષ લવજેહાદનો આરોપી મહંમદ ઉર્ફે દાડો એ અગાઉ ફોજદારી પરચુરણ અરજી નંબર ૧૯૦ ૨૦૨૧ થી જામીન અરજી કરી હતી જે કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલી હતી.

ત્યારબાદ તપાસ કરનાર અધિકારી શ્રી સાગર બાગમાંર તરફથી ચાર્જશીટ કરેલું હતું અને આ ચાર્જશીટ આવ્યા બાદ ફરીથી મોહંમદ ઉર્ફે દાડો એ જામીન અરજી કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ તદ્દન નિર્દોષ છે ત્યાંથી ભાગી જાય તેમ નથી અને તેઓએ કોઈ ગુનો આચરેલ નથી અને આ લવ જેહાદના કાયદા ઉપર ગુજરાતની વડી અદાલતે રોક લગાવેલી છે.

આ સામે સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર શ્રી કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલ હતી કે ભોગ બનનારની જુબાની હજુ સુધી થયેલી નથી આ તબક્કે ભોગ બનનાર નો સંપર્ક કરતાં તેઓને આરોપી પક્ષ તરફથી હજુ પણ ફોન દ્વારા સમાધાન કરી લેવા માટે દબાણ કરવામાં આવે છે અને તેનાથી વધારે ભોગ બનનારે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને મોબાઇલ ફોન દ્વારા કલમા પડાવી અને મુસલમાન થવા માટે આરોપી તરફથી દબાણ આવી રહ્યું હતું અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ મળી રહી હતી.

બંને પક્ષની દલીલો સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી રાહુલ શર્માએ નોંધાયેલું હતું કે માત્ર ચાર જ શિફ્ટ થાઉં તે કોઈ સંજોગોમાં ફેરફાર નથી અગાઉ કોઈ જામીન અરજી રદ્દ થયેલી છે અને અરજદાર તરફથી વિશેષ નવી રજૂઆત નથી આ તમામ હકીકતો મોદી અને આરોપી મોહંમદ ઉર્ફે દાડો ની જામીન અરજી રદ કરવામાં આવી. 

(11:55 am IST)