Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સોમનાથમાં આવેલ ૫૦૦ વર્ષ પૂરાણુ સામુદ્રિ માતાજીના મંદિરે માત્ર એક દિવસ આશો શુદ અગીયારના એક નોરતુ

(દેવાભા રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ, તા.૧૭: પ્રભાસ પાટણમાં કોળી સમાજના નાકે સામુદ્રિ માતાજીનું ૫૦૦ વર્ષ પૂરાણુ મંદિર આવેલું છે આ મંદિરે માત્ર આશો શુદ અગીયારના રોજ એક નોરતામાં રમવામાં આવે છે.
આ આયોજન સામુદ્રિ માતાજી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે અને આ એક દિવસ ના આ નોરતા બાળકો અને યુવાનો જુદા જુદા વેશભૂષા ધારણ કરે છે અને મોટીસંખ્‍યામાં ભાઈઓ અને બહેનો પણ જોડાય છે અને મોડી રાત સુધી ગરબા રમે છે.
આ સામુદ્રિ માતાજીના મંદિરનો ઉલ્લેખ પૂરાણો અને પ્રભાસ ખંડમાં પણ કરવામાં આવેલ છે ઉત્‍સવની સાથે માતાજીની ઉપાસના પણ કરવામાં આવે છે તેમ મંદિરના પુજારી નિલેશભાઈ પંડયાએ જણાવેલ છે.

 

(11:42 am IST)