Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પાક મરીન દ્વારા વધુ ૩ બોટના ૧૮ માછીમારોનાં અપહરણ

બે દિ'માં કુલ ૧૦ બોટ સાથે પ૬ માછીમારોના અપહરણ : પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે રોષ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૮ :  જખૌ જળસીમામાં પાકિસ્તાન મરીન દ્વારા વધુ ૩ બોટના ૧૮ માછીમારોના અપહરણ કરી ગયેલ છે. અપહરણ થયેલ માછીમારો સૌરાષ્ટ્રના છે. 

હજુ બે દિવસ પહેલા ૭ બોટ સાથે ૪૮ માછીમારો ના અપહરણ બાદ ફરી પાકિસ્તાન મરીનને નાપાક હરકત કરેલ અને વધુ ૩ બોટના ૧૮ માછીમારોના અપહરણ કરી જતા અન્ય માછીમારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. માછીમારીની સીઝન હજુ શરૂ થઇ છે ત્યારે પાકિસ્તાન મરીને ર દિવસમાં કુલ ૧૦ બોટ સાથે પ૬ માછીમારોના અપહરણ કરી ગયેલ છે.

પાકિસતાન મરીન ભારતીય જળ સીમાની અંદર ઘુસી જઇને વારંવાર માછીમારોના અપહરણ કરી જાય છે. આ પ્રશ્ન લાંબા સમયથી અણઉકેલ રહ્યો છે.

(3:30 pm IST)