Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જામજોધપુર : મગફળી લખાવવા વ્યવસ્થા

જામજોધપુર : ટેકાના ભાવે મગફળી લખાવવા વેપારી મંડળ દ્વારા રવિવારે પક્ષ સુવિધા અપાઇ છે. રાજય સરકારશ્રીના ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડૂતોને ૭-૧રમાં મગફળી લખાવવા હેરાન ન થવુ પડે તે માટે મંત્રીશ્રીએ આગોતરૂ આયોજન કરી શનિ-રવિ રજાના દિવસે પણ પંચાયત કચેરીએ ખેડૂતોને મગફળી લખી આપવાની સુચના વેપારી મંડળના પ્રમુખ પી.એચ.પારેગી તેમજ જીલ્લા વેપારી મંડળના કારોબારી સદસ્ય એ.એલ.સોલંકી અને તેમની ટીમ દ્વારા આયોજન કરેલ છે. આ કામગીરી રવિવારથી ચાલુ કરી દીધી છે. મગફળી જથ્થો લખાવવા વ્યવસ્થા કરાઇ તે તસ્વીર.

(11:54 am IST)