Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

આટકોટના ગુંદાળા જામ ગામે છાતીમાં દુઃખાવા બાદ આદિવાસી બાળકનું મોત

જસદણ તા. ૧૮: જસદણના આટકોટ પોલીસ મથક હેઠળ આવતા (ગુંદાળા જામ) ગામે ખેત મજુરી કરતાં એક મધ્ય પ્રદેશના આદીવાસી પરિવારનો આઠ વર્ષનો પુત્રને છાતીમાં દુઃખાવો થતાં તેમને સારવાર મળે તે પહેલા મૃત્યુ થયેલ હતું.

ગુંદાળા જામ ગામે રહી ખેતરમાં મજુરી કામ કરતાં ગણપતભાઇ બાંભવાના કિશન નામના પુત્રને વહેલી સવારે છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. આ અંગે આ દંપતિએ વાડીના માલિકને જાણ કરતાં તેમણે ગામના આગેવાન મનુભાઇ ખોખરીયાને જાણ કરતાં તાત્કાલિક તેઓ જસદણ સરકારી હોસ્પિટલે લાવેલા પણ સારવાર મળે તે પહેલા કીશનનો જીવદીપ બુઝાઇ જતાં આદીવાસી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.

મૃતકના શબને તેમના વતન લઇ જવા માટે મનુભાઇએ વ્યવસ્થા કરી આપેલ હતી. આ બનાવ અંગે આટકોટ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)