Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

નામદાર ડો. સૈયદના સાહેબ દ્વારા દુનિયાભરમાં જમણવાર

જસદણ તા. ૧૮ :.. વિશ્વભરના દાઉદી વ્‍હોરા સમાજના પ૩ માં દાઇ (સર્વોચ્‍ચ ધર્મગુરૂ) તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્‍સાદીક આલીકદર મુફદલભાઇ સાહેબ સૈફુદીન (ત.ઉ.શ.) દ્વારા દુનિયાભરમાં વસતાં તેમના અનુયાયીઓનાં ગામે ગામ પોતાના સ્‍વ. ખર્ચે આજે મંગળવારે એકટંક જમણવાર યોજશે.

આ અંગે રાજકોટ-જસદણ સહિત સૌરાષ્‍ટ્રભરમાં વસતાં વ્‍હોરા બિરાદરો આનંદ ઉલ્લાસ સાથે જમણવારમાં હાજરી આપશે. આ જમણવારમાં ગામે ગામમાં વાનગીઓ પણ એક સરખી રહેશે. આજે કેટલાંક ગામોમાં બપોરે તો કેટલાક ગામોમાં રાત્રીના વ્‍હોરા સમાજમાં આ જમણવાર યોજાશે આ જમણવાર અવસરે આજે સવારથી જ જુદા જુદા ગામોની જુમાતના આગેવાનો હોદેદારો આમિલો અને ખીદમત ગુજારો ખડેપગે સેવા આપી રહ્યા છે.

(11:08 am IST)