Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબી : ભાજપે જન આશીર્વાદયાત્રા નહિ લોકો પાસે માફી માંગવાની યાત્રા કરવી જોઈએ

કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીના ભાજપની જન આશીર્વાદ યાત્રા પર આકરા પ્રહારો.

મોરબી :  ભાજપ દ્વારા હાલ જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે ભાજપ લોકો પાસે શેના આશીર્વાદ માંગે છે ? તેવા પ્રશ્નો કરીને મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ આકરા પ્રહારો કર્યા છે અને ભાજપે લોકો પાસે માફી માંગવાની યાત્રા કરવી જોઈએ તેમ જણાવ્યું છે
રમેશ રબારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે ભાજપ લોકો પાસે શેના આશીર્વાદ માંગે છે કોરોના કાળમાં લોકોને પડેલ મહામુસીબતમાં થયેલ હેરાનગતિ માટે ? સરકારી આંકડા મુજબ માત્ર આઠ ટકાને જ રસી આપેલ છે શાસકો પાસે રસી નથી દવાખાનામાં તબીબો નથી, દર્દીઓ માટે બેડ ના હતા, સ્મશાનમાં જગ્યા ના હતી. આજે ખાધતેલમાં રાક્ષસી ભાવવધારા સાથે અને ખાદ્યસામગ્રીના ભાવવધારા માટે ? પેટ્રોલ-ડીઝલમાં એકસો રૂપિયા કરતા પણ વધુ ભાવ માટે, ગેસ સીલીન્ડર ભાવવધારા માટે કે વીજબીલમાં ભાવ વધારા માટે ભાજપ જન આશીર્વાદ માંગે છે ?
માસ્ક ના પહેરવા બદલ દંડ માટે આશીર્વાદ ? પોલીસ તંત્રનો ભયાનક ગેરઉપયોગ દ્વારા નિર્દોષ લોકો પાસે ગુજારેલ ત્રાસ માટે આશીર્વાદ મેળવવા માટે ? દેશ અને રાજ્યના સરકારી તંત્ર દ્વારા પ્રજાની કરેલી પાયમાલી અને આશીર્વાદ મેળવવા માટે માં કાર્ડ મેળવવા થતી હેરાનગતિ માટે આશીર્વાદ માંગે છે ? ભાજપના શાસકો શરમ કરો તમે લોકોને મોઢું બતાવવા લાયક નથી પ્રજામાં ભારે અસંતોષ હોવાનું જણાવ્યું છે

 

(10:35 pm IST)