Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ભાજપની જન આશિર્વાદ યાત્રાનું સ્વાગત કરતું મોરબી સિરામિક એસોશિએશન. અગ્રણી ગ્રામજનો પણ જોડાયા.

મોરબી જિલ્લાની જનતાના આશીર્વાદ મેળવવા ગઈકાલે કેન્દ્રીય રાજય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા જન આશીર્વાદ મેળવવા જન આશીર્વાદ યાત્રા લઈ માટેલ રોડ, ઢુવા બ્રીજ નજીક આવીપહોંચ્યા હતા અને ત્યાં મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ  મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા માટેલરોડ ઉઘોગકાર નિલેશભાઈ રાણસરીયા, પરેશભાઈ દેત્રોજા દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ માટેલ રોડ પર આવેલ કયુબો સીરામીક ખાતે નિલેશભાઈ રાણસરીયા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો દ્વારા જન આશીર્વાદ યાત્રાને આવકારી સ્વાગત કરવામાં આવેલ હતું.

(10:34 pm IST)