Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીના શનાળા ગામે કુવામાં ડૂબી જતા આધેડનું મોત : બનાવ આપઘાતનો ? ફાયર ટીમે મૃતદેહ કાઢ્યો :બનાવ આપઘાતનો હોવાનું પ્રાથમિક તારણ.

મોરબીના શનાળા ગામમાં આવેલ કુવામાં ડૂબી જતા એક આધેડનું મોત થયું હતું મોરબી ફાયર ટીમે સ્થળ પર પહોંચીને મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો હતો તો બનાવ આપઘાતનો હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે
મોરબીના શનાળા ગામમાં આવેલ કુવામાં એક ૩૮ વરસના આધેડ પડી ગયા હોય જે બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમના પ્રીતેશ નગવાડિયા, કાર્તિક ભટ્ટ, કુલદીપસિંહ રાણા, વસીમ મેમણ, પેથાભાઈ મોરવાડિયા, હિતેશ દવે અને વિપુલભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી અને કુવામાં ડૂબેલ વ્યક્તિને બચાવવા પ્રયત્ન હાથ ધર્યા હતા અને કલાક કરતા વધુ સમયની જહેમત ઉઠાવી હતી જોકે પાણીમાં ડૂબી જતા આધેડનું મોત થયું હતું અને મૃતદેહ જ ફાયર ટીમને હાથ લાગ્યો હતો
મૃતક હિતેશભાઈ ખીમજીભાઈ સનારીયા (ઉ.વ.૩૮) રહે શકત શનાળા વાળા હોવાનું જાણવા મળ્યું છે તો આધેડે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો હોય તેવી માહિતી પણ સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ હતી બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(10:11 pm IST)