Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીના ગાળા,કેરાળા અને હરીપરના ખેડૂતોને નુકશાની વળતર ના ચૂકવાય તો ઉપવાસ આંદોલન

સંતોષકારક કામગીરી કરવા જરૂરી સુચના આપવા માંગ: રણ દિવસ બાદ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી

મોરબી નજીકના ગાળા, કેરાળા અને હરીપર ગામના ખેડૂતોને ફેક્ટરીના પ્રદુષણને પગલે નુકશાન થતું હોય જેનું વળતર ચુકવવા અને યોગ્ય કાર્યવાહી ના કરાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબીની સંસ્થાના નેજા હેઠળ ગાળા, કેરાળા અને હરીપર ગામના ખેડૂતોને થતી નુકશાની અંગે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી જેથી કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે ખેડૂતોને થયેલ નુકશાન બાબતે કામગીરી કરવામાં આવી રહી નથી અને સંતોષકારક કામગીરી કરવા જરૂરી સુચના આપવા માંગ કરી છે અને યોગ્ય કાર્યવાહી ના કરાય તો ત્રણ દિવસ બાદ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

(10:10 pm IST)