Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીમાં વ્યાજવટાવ સંબંધિત પ્રશ્નો સાંભળવા એ ડીવીઝન પોલીસ મથકમાં લોકદરબાર

જીલ્લા એસપીની અધ્યક્ષતામાં બુધવારે લોક દરબારનું આયોજન.

મોરબી પંથકમાં લોકોને વ્યાજખોરોનો ત્રાસ હોય તેમજ તે સંબંધિત પ્રશ્નો હોય તે સાંભળવા માટે મોરબી એ ડીવીઝન પોલીસ મથક ખાતે લોકદરબારનું આયોજન કરાયું છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની અધ્યક્ષતામાં તા. ૧૮ ના રોજ સાંજે ૫ કલાકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે લોકદરબારનું આયોજન કરાયું છે જેમાં આમ જનતાને સ્પર્શતા વ્યાજ વટાવને લગતા કોઈ પ્રશ્નો, રજૂઆત કરી ફરિયાદ હોય તો અંગત ધ્યાને લેવામાં આવશે જેથી અરજદારે આ બાબતે લેખિત અરજી/ફરિયાદ સાથે હાજર રહેવા સીટી પીઆઈ બી પી સોનારાની યાદીમાં જણાવ્યું છે.

(12:05 pm IST)