Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

વાંકાનેરઃ નાના જડેશ્વર મહાદેવ મંદિરે શ્રૃંગાર દર્શન

વાંકાનેરઃ વાંકાનેર થી દસ કિલોમીટર દૂર મોરબી તાલુકાના સજનપર માં આવેલ ભવ્ય શિવાલય મંદિર 'શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર' સજનપર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી જડેશ્વર મહાદેવદાદાને અનોખા 'શણગાર દર્શન' સાંજે રાખેલ હતા તેમજ સવારે પણ વિધ વિધ ફૂલના શણગાર દર્શન રાખેલ હતા. શ્રાવણ માસના બીજા સોમવારે પણ ધૂન, સંકીર્તન ની રંગત જામી હતી તેમજ શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશાળ સંખ્યામાં દાદાના દર્શનનો, સંધ્યા આરતીનો લાભ લીધેલ હતો. આ ઉપરાંત ૧૫ મી ઓગસ્ટ ના રોજ શ્રી નાના જડેશ્વર મહાદેવદાદાને લીલીછમ હરિયાળીનો રાષ્ટ્ર પર્વનો શણગાર દર્શન કરવામાં આવેલ હતો શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી પ્રદીપભાઈ મહારાજ, શ્રી ભરતભાઈ જાની, શ્રી ઋષિબાપૂના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યો થઈ રહયા છે.

(11:44 am IST)