Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

માળીયાહાટીનાના અગ્રણી વેપારી નરશીદાસ કાનાબાર પરિવારમાં ૨૪ કલાકમાં કાકી - ભત્રીજાના અવસાનથી ઘેરો શોક

માળીયાહાટીના : માળિયાહાટીનાના અગ્રણી વેપારી નરશીદાસ પરમાનંદદાસ કાનાબાર પરિવારમાં દુઃખદ બનાવ બનતા ઘેરો શોક છવાયો છે. ૨૪ કલાકમાં કાકી અને ભત્રીજાનું અવસાન થતા ગમગીની છવાઇ ગઇ છે.

માળિયાહાટીનાના અગ્રણી વેપારી નરશીદાસ પરમાનંદદાસ કાનાબારના મોટા પુત્ર સ્વ. ચુનીભાઇ કાનાબારના મોટા પુત્ર હિતેશભાઇ (ઉ.વ.૫૬)નું અને નાગરદાસ કાનાબારના ધર્મપત્ની ભાનુબેન (ઉ.વ.૭૪)નું ગાંધીનગર ખાતે એક જ  પરિવારના કાકી અને ભત્રીજાનું એક જ દિવસમાં અવસાન થયેલ છે.

હિતેશભાઇની અંતિમવિધિ પૂરી કરી પરિવારજનો ઘરે આવ્યા ત્યાં હિતેશભાઇના કાકી ભાનુબેને પણ અંતિમ શ્વાસ લીધા હતા. આમ, એક જ દિવસમાં એક જ પરિવારમાં કાકી-ભત્રીજાના મોત થતા નાના એવા માળિયાહાટીનાના કેશોદમાં અરેરાટી મચી ગઇ છે.

બંને સદ્ગતનું ઉઠમણું તા. ૧૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે લોહાણા મહાજન વાડી, માળિયાહાટીના ખાતે રાખેલ છે.

કાકી-ભત્રીજા અ.નિ. ગંગાબેન નરસીદાસ કાનાબાર, ગં.સ્વ. વિજયાબેન ચુનિલાલ કાનાબાર, ગીતાબેન ભરતભાઇ કાનાબાર,સ્વ. ચારૂબેન જ્યોતિસભાઇ કાનાબાર,ગં.સ્વ. સરલાબેન હિતેશભાઇ કાનાબાર, ભાવનાબેન વિપુલભાઇ કાનાબાર, પ્રીતીબેન મયુરભાઇ કાનાબાર, નીતાબેન જીજ્ઞેશભાઇ કાનાબાર, વૈશાલીબેન વિરલભાઇ કાનાબાર,જલ્પાબેન જતીનભાઇ કાનાબાર, ભુમિબેન નિરવભાઇ કાનાબાર, બિનાબેન અસીતકુમાર કોટેચા, નરશીદાસ પરમાણંદદાસ કાનાબાર, નારણદાસ પરમાણંદદાસ કાનાબાર, જમનાદાસ પરમાણંદદાસ કાનાબાર, રાધાબેન રજનીકુમાર લાલચેતા, નેહાલબેન નરેશકુમાર કારીયા, પુજાબેન અલ્પેશકુમાર ધનેશા, વિપુલભાઇ ૯૭૧૨૪ ૭૫૯૨૧ તથા મયુરભાઇ ૬૩૫૯૨ ૬૩૮૭૨ પરિવારને વિલાપ કરતા છોડી જતા ઘેરો શોક છવાયો છે.

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, 'અકિલા' વેબ એડિશનના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સહિત 'અકિલા' પરિવારે બે મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

(11:56 am IST)