Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીના જેતપર ગામે અગ્નિસ્નાન કરનાર વૃદ્દ્ધાનું સારવારમાં મોત

પોતાના ઘેર જાત જલાવી લેતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા વૃધ્ધા પોતાની જાતે જાત જલાવી સળગી ઉઠ્યા હોય અને તેને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા જયાબેન મોહનભાઈ મકવાણા (ઉ.૭૦) ગત તા.૯ ના રોજ પોતાના ઘેર જાત જલાવી લેતા તેણીને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત તા.૧૦ ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)