Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબી એમ.પી. ની બસ આવે ત્યારે ઉઠાડજે તેમ કહી સૂઈ જનાર નિંદ્રાધીન યુવાનનું મોત :

પોલીસે પરિવારને જાણ કરી કાર્યવાહી કરી

મોરબીના પાવડીયારી કેનાલ નજીક મજુરી કામ અર્થે આવેલ મધ્યપ્રદેશનો વ્યક્તિની તબિયત સારી ન હોય અને એમ પી જવું છે તેમ કહી સુઈ ગયા બાદ ઉઠ્યો ન હોય અને તેનું મૃત્યુ નીપજ્યું હોવાની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી છે
 મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશનો વતની અને મોરબી જીલ્લામાં છેલ્લા એકાદ માસથી કડિયા કામની મજુરી કામ અર્થે આવેલ સંતોષભાઈ બાબુભાઈ પવારને કમળો થઇ જતા ગત તા.૧૪ ના અણીયારી-માળિયા રોડ થી એમ પી જવા નીકળેલ અને ઘરે આવવા માટે નીકળેલ અને તા.૫ ના પાવડીયારી કેનાલ પાસે આવેલ શાક માર્કેટમાં આવેલ સિંગ દારિયાની દુકાન વાળાને કહેલ કે મારી તબિયત બરાબર નથી મને કમળો થઇ ગયેલ છે મારે એમ પી જવું છે એમ પીની બસ આવે ત્યારે મને ઉઠાડજે તેમ કહી સુઈ ગયેલ બાદમાં જાગેલ ન હોય અને મરણ ગયેલ હોવાની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી છે

(11:13 am IST)