Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કચ્છમાં યુવાન ધારાશાસ્ત્રીએ જીવ દીધો : સાળંગપુર જવાનું કહી ઓફિસે ગળેફાંસો ખાધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : વર્તમાન સમયમાં આત્મહત્યાના વધતાં જતાં બનાવો ચિંતાજનક છે. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી પુરુષ આપઘાતના બનાવોમાં ઉછાળો આવ્યો છે. તેમાં મોટા ભાગનો યુવાવર્ગ છે.

આત્મહત્યાના વધુ એક બનાવમાં અંજારમાં વકીલાતની પ્રેકિટસ કરતા ૪૫ વર્ષીય યુવા ધારાશા સ્ત્રી નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજાએ પોતાની ઓફિસમાં આપઘાત કરી જીવ દીધો હતો. પરિવારને સાળંગપુર જવાનું કહી બે સંતાનના પિતા નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજાએ નગરપાલિકા કોમ્પલેક્ષ માં આવેલી પોતાની ઓફિસે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

૧૫ ઓગસ્ટે તેઓ ઘેરથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા હતા. પણ, તેમની ઓફિસમાં દુર્ગંધ આવતાં પડોશી ઓફિસ ધારકોએ પોલીસને જાણ કરતાં તેઓ ઓફિસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અવારનવાર તેઓ સાળંગપુર જતા હોઈ પરિવારજનોએ પણ વધુ તપાસ કરી નહોતી. અંજાર પીએસઆઈ જી.બી. માજીરાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

(10:14 am IST)