Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડું હળવું થતાં કચ્છના કંડલા અને અદાણી મુન્દ્રા બંદરે ૮ નંબરનું સિગ્નલ હટાવી ૩ નંબરનું સિગ્નલ લગાવાયું:મોડી રાત સુધીમાં બંદરીય કામકાજ શરૂ થઈ જવાની ધારણા

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ) વાવાઝોડાનું જોર નબળું પડી ગયું છે. એ સંજોગોમાં કચ્છના બે મોટા મહાબંદરો કંડલા અને મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર ૮ નંબરનું અતિ ભય જનક સિગ્નલ હટાવી દેવાયુ છે અને ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. લગભગ મોડી સાંજ અથવા તો રાત સુધી બંદર ઉપર વ્યવહાર ધીરે ધીરે પૂર્વવત થઈ જાય તેવી શક્યતા છે.

(3:48 pm IST)