Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કાલે નથવાણી પરિવાર દ્વારા રઘુવંશી પરિવાર સમુહ જ્ઞાતિ ભોજન

જામનગર તા. ૧૮ : શેઠશ્રી ધીરજલાલ હીરજીભાઇ નથવાણી પરિવારના મોભી શ્રી પરિમલભાઇ તથા ધનરાજભાઇ નથવાણી દ્વારા તા.૧૯/૦પ/ર૦૧૮ ના શનિવારે સમૂહ જ્ઞાતી (નાત) ભોજન પ્રસાદનો લાભ લેવા સર્વે રઘુવંશી પરિવારોએ પધારવા શ્રી નથવાણી પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવેલ છે ત્યારે શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા સર્વે રઘુવંશી પરીવારોઓ સમયસર જ્ઞાતી પ્રસાદનો લાભ લેવા જણાવાયું છે. સ્થળઃ-શેઠ શ્રી વી.ડી.બરછા, નવી લોહાણા મહાજનવાડી બેઠક રોડ, જામખંભાળીયા સમય બહેનો માટે-સાંજે ૬-૩૦ થી ૮-૩૦ દરમિયાન ભાઇઓ માટે રાત્રે૮-૩૦ થી તારીખ ૧૯-૦પ-૧૮ ના શનિવારે

(3:48 pm IST)