Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

શિહોરમાં પાણીના હોજમા ડુબી જતા સંજય પટેલઃ ઝેરી દવા પી લેતા નંદુબેન જાદવનુ મોત

ભાવનગર તા.૧૮: ભાવનગર પંથકમાં પાણીના હોજની ડુબી જવાથી યુવાનનું તથા ઝેરી દવા પી લેવાથી અલગ-અલગ ઘટનામાં મહિલા સહિત બે વ્યકિતના મોત થયા છે.

સિહોરના કરકોલીયા રોડ પર આવેલ વશરામભાઇ કુવાડીયાની વાડીમાં પાણીના હોજમાં ન્હાવા માટે પડેલ યુવાન સંજયભાઇ ગોવીંદભાઇ પટેલનું ડુબી જવાથી મોત નિપજયું હતું આ બનાવની જાણ થતા પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને કુવકના મૃતદેહને સિહોર હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પી લેતા મોત

સિહોર તાલુકાના રામધરી ગામમાં રહેતા નંદુબેન ટીનુભાઇ જાદવ (ઉ.વ.૪૭)એ ગત તા.૨૦/૪ના રોજ કોઇકારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.કમોતના અન્ય એક બનાવમાં તળાજામાં રહેતા મુકેશભાઇ ધીરૂભાઇ ડોળાશીયા (ઉ.વ.૩૦)એ ગત ૧લીના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવેલ જયાં તેમનું સારવાર મોત નિપજ્યું હતું.

(11:41 am IST)