Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ભાવનગરમાં હૂમલો કર્યા બાદ આરોપીઓએ યુવાનનાં મકાનમાં આગ લગાડી

ભાવનગર, તા.૧૮ : ઘોઘા રોડ પર ૧૪ નાળા વિસ્‍તારમાં ઉદયવિર હનુમાનજી પાછળ મફતનગરમા રહેતા અનિલ દિનેશ મોરી ઉ.વ.૨૨ એ ગતરોજ આરોપીના પુત્રને માર માર્યો હતો, આ વાતની દાઝ રાખી ગતરાત્રીના અનિલ સરદારનગરમા આવેલ ૫૦ વારીયા વિસ્‍તારમાં રામજીમંદિર પાસે બેઠો હોય એ દરમ્‍યાન મના ગોહેલ તથા ગોપાલ મના તેની પાસે આવી ગાળો આપી તું મોટો ડોન થઈ ગયો છે તેમ કહી પિતા-પુત્ર એ પાઈપ-ધોકા વડે હુમલો કરી મારમાર્યો હતો, દરમ્‍યાન ગંભીર રીતે ઘવાયેલ અનિલને તેના પિતા સહિતના સભ્‍યો સર ટી હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. એ દરમ્‍યાન આરોપી મના ગોહેલ, ગોપાલ મનાભાઈ ગોહેલ, રાજુ મનાભાઈ ગોહેલ તથા કાજલ રાજુભાઈ મનાભાઈ ગોહેલ અનિલના ઘરે હથિયાર સાથે આવ્‍યા હતા અને ઘરમાં તોડફોડ કરી ઘરવખરી રાચરચીલાને કાંડી ચાંપી દેતા અનાજ રોકડ ઈલેક્‍ટ્રોનિક સામાન સહિતની ચિઝવસ્‍તુઓ સળગીને ખાખ થઈ ગઈ હતી, આથી રૂપિયા ૨ લાખની નુકસાની થઈ હતી, આ અંગે અનિલે મના ગોહેલ, ગોપાલ, રાજુ તથા કાજલ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(12:20 pm IST)