Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

વાંકાનેરમાં જીનપરા જગાતનાકે શ્રી ચિત્રફૂટ બાલાજી મંદિરે શ્રી રામનવમીની ભકિતભાવ પૂર્વક ઉજવણી

વાંકાનેર : વાંકાનેર જકાતનાકા પાસે, જીનપરામાં આવેલ પ્રસિદ્ધ શ્રી ચિત્રફૂટ બાલાજી મંદિર ખાતે તા, ૧૭ મીના બુધવારના શ્રી રામનવમીના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે સવારે ૮ થી ૧૨ શ્રી રામયજ્ઞ યોજાયેલ હતો તયારબાદ બપોરે ૧૨ : ૦૦ કલાકે શ્રી રામજન્મની મહાઆરતી કરવામાં આવેલ હતી તૅમજ સાંજે સમસ્ત બાળકોનું બટુકભોજન યોજાયેલ હતુ તૅમજ સાંજે ૭ : ૦૦ કલાકે ઢોલ, નગારા, શખો અને ઝાલરો શરણાઈના સૂરો સાથે ભવ્ય દિવ્ય " મહાઆરતી " કરવામાં આવેલ હતી રામયજ્ઞ, મહાઆરતીના દર્શનનો વિશાળ સંખ્યામાં ભાવિકોએ લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી

(1:07 am IST)