Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જલારામ પ્રાર્થના મંદિરમાં રામનવમી નિમિત્તે મહાઆરતી- મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર ખાતે આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવને ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ, મહાઆરતી તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બહોળી સંખ્યામાં ભક્તોજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

(12:35 am IST)