Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

મોરબીની ક્રિષ્‍ના હોસ્‍પિટલને બેસ્‍ટ ઓર્થોપેડિક અને ટ્રોમા સેન્‍ટરનો એવોર્ડ

મોરબી,તા.૧૮ : મોરબીની જાણીતી ક્રિષ્‍ના મલ્‍ટી સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલને  આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલ અને ટીવી૧૮ દ્વારા બેસ્‍ટ ઓર્થોપેડીક અને ટ્રોમા કેર સેન્‍ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો છે. આ એવોર્ડ સેરેમનીમાં ક્રિષ્‍ના મલ્‍ટી સ્‍પેશ્‍યોલિટી હોસ્‍પિટલના ડોક્‍ટર ડો. વિનોદ કૈલા, ડો.મયુર જાદવાણી, અને ડો.મનોજ કૈલા ઉપસ્‍થિત રહ્યાં હતાં. આ એવોર્ડ મળવા બદલ સમગ્ર ક્રિષ્‍ના મલ્‍ટી સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલ અને શિવમ મલ્‍ટી સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલના તમામ ડોક્‍ટરની ટીમ તેમજ સ્‍ટાફ ગણને અભિનંદન મળી રહ્યા છે.

મોરબીની ક્રિષ્‍ના મલ્‍ટી સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલમાં ઓર્થોપેડિક અને ટ્રોમા કેર માટે તમામ સ્‍પેશ્‍યાલિસ્‍ટ ડોક્‍ટરની ટીમ છે. જેમાં ડો. વિનોદ કૈલા, ડો. -હલાદ ઉઘરેજા, ડો. મયુર જાદવાણી, ડો. યોગેશ વઘાસિયા, ડો. પાર્થ કણસાગરા, ડો. મનોજ કૈલા, ડો. સાગર ખાનપરા, ડૉ રીધમ ખંડેરીયા, ડો. ચાંદની ખાનપરા, ડો. હાર્દિક ઘોડાસરાનો સમાવેશ થાય છે અને આ ડોક્‍ટરોની એક્‍સપર્ટ ટ્રીટમેન્‍ટ દ્વારા ઓર્થોપેડિક ટ્રોમાને લગતી કોઈપણ પ્રકારની ઈજા અથવા તકલીફ હોય તો તેની એક જ સ્‍થળે સંપૂર્ણપણે સારવાર મળે છે

(1:27 pm IST)