Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

વિસાવદર અનુસુચિત જાતિ મોરચાના આગેવાનો કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા જૂનાગઢ જશે

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : જૂનાગઢ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ ભરતભાઇ દાફડાની યાદીમા જણાવ્‍યા અનુસાર વિસાવદરમા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચા-વિસાવદર તાલુકાનીᅠ કારોબારી બેઠક યોજાઈ હતી.જેમા જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના મોરચાનાં મહામંત્રી ચૌહાણ શત્રુધ્‍નભાઈ, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા ઉપપ્રમુખ ભરતભાઈ દાફડા ,વિસાવદર તાલુકા ભાજપના મહામંત્રી પરસોતમભાઈ પદમણી, તાલુકાના ઉપપ્રમુખ શામજીભાઈ પરમાર, વિસાવદર માર્કેટીંગ યાર્ડના ડિરેક્‍ટર કામલેશભાઈ રીબડિયા,કારોબારી સભ્‍ય જીગ્નેશ સોલંકી તેમજ વિસાવદર તાલુકાના પ્રમુખ રમેશભાઈ મકવાણા, મોરચાની ટીમ તેમજ કોરોબારી સભ્‍યો તથા તાલુકા ના જિલ્લાના હોદ્દેદારોએ હાજરી હાજરી આપી હતી.જેમા ગુહમંત્રી અમિતભાઈ શાહ કાલે જુનાગઢ આવતા હોવાથી મોરચાની ટીમ તથા પાર્ટીના કાર્યકરોને આવવા માટે સૂચના આપી હતી.પાર્ટીના વિવિધ કાર્યક્રમ વિશે ચર્ચા કરી હતી. પ્રદેશ અઘ્‍યક્ષ શ્રી સી.આર.પાટીના જન્‍મદિને વિસાવદર ચરમાલી દલિત વિસ્‍તાર,હનુમાનપરા વોર્ડ નંબર ચાર આંગણવાડીનાં બાળકોને આઈસક્રીમ આપવામાં આવ્‍યું હતું.

(1:08 pm IST)