Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

દ્વારકા મામલતદારને આવેદનપત્ર અપાયું

મીઠાપુર : ઓખામંડળ તાલુકામાં રહેતા વિવિધ સમાજ તથા વિવિધ ટ્રસ્ટ તથા સંસ્થાઓ દ્વારા દ્વારકા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ માં ઘર બેઠા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે નજીકનું સેન્ટર આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. આ તકે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અલહૈદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હુશૈનભાઇ, ઉપપ્રમુખ આરીફભાઇ ચૌહાણ, રામભાઇ ચાસીયા, શંકરભાઇ ગોરી, મહેશભાઇ બારોટ તથા અલારખા બાપુ દ્વારા સાહેબશ્રીને આવેદનપત્ર અપાયું હતું. (તસ્વીર -અહેવાલ : દિવ્યેશ જટણીયા -મીઠાપુર)

(10:29 am IST)