Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ખંભાળીયાના વડત્રાના ર આહિર યુવકોના અકસ્માતમાં મોતથી ઘેરો શોક

ખંભાળીયા, તા. ૧૮ : તાલુકાના વડત્રામાં રહેતા બે આહિર પિતરાઇ ભાઇઓ અંકલેશ્વરમાં જેસીબીનું કામ કરતા હોય ત્યાંથી પરત આવતા ધ્રોલના સોપલ ગામ પાસે જામનગર રાજકોટ રોડ પર જીપનો અકસ્માત થતા બે પિતરાઇ ભાઇઓને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત નિપજતા નાનકડા વડત્રા ગામમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.

ભાયાભાઇ માલદે રામ તથા જેસાભાઇ નગાભાઇ રામ તથા જયેશ માલદે રામ એમ ત્રણ ભાઇઓએ અંકલેશ્વર કામ રાખેલુ જયાંથી રવિવાર હોય વડત્રા પરત ફરતા હતાં ત્યારે ધ્રોલ પાસે કાળનો કોળીયો ભાયાભાઇ તથા જેસાભાઇ બની ગયા.!!

બે યુવાનોના મોતથી વડત્રા ગામ તથા ખંભાળીયા આહિર સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ છે.

નાનકડા વડત્રા ગામમાં પહેલી ફેબ્રુઆરીથી જ કોઇને કોઇ મૃત્યુનો બનાવ બનતો રહતો હોય એક વ્યકિતની ક્રિયા પૂરી થાય ત્યાં પહેલા બીજા કોઇનું મૃત્યુ થાય તેવા બનાવ બનતા રહેતા હોય ભારે શોકની લાગણી છવાઇ છે.

(3:45 pm IST)