Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

બીલખાના મેવાસા ગામે વેલ્ડીંગની દુકાનમાં લુહાર યુવાનનો આપઘાત

જુનાગઢ સિવિલમાં બે વૃધ્ધના અપમૃત્યુ

જુનાગઢ, તા., ૧૮:  જુનાગઢ જિલ્લાના બીલખા પોલીસ સ્ટેશન હેઠળના મેવાસા કમરીબાદમાં ગામના  મિલન અશોકભાઇ વાઘેલા (ઉ.વ.રપ) નામના લુહાર યુવાનેગઇકાલે પોતાની વેલ્ડીંગની દુકાનમાં દોરડા વડે લટકીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ અંગે મૃતક યુવકના પિતા અશોકભાઇ  લાલજીભાઇ વાઘેલાએ જાણ કરતા બીલખા  પોલીસે દોડી જઇને યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

યુવાનના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અપમૃત્યુ

જુનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આવેલ છગન મામાની સોસાયટીમાં રહેતા જેન્તીભાઇ ત્રિભોવનદાસ તન્ના (ઉ.વ.૭૪) નામના લોહાણા વૃધ્ધને મોડી રાત્રે મૃત હાલતમાં સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ જ પ્રમાણેરાજસ્થાનનાઉદયપુરના પ્રવાસી જીતેન્દ્ર લાલજીભાઇ જૈન (ઉ.વ.પ૩) નામના વૃધ્ધને આજેવહેલી સવારે મૃત્યુ પામેલી હાલતમાં જુનાગઢ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા પોલીસે  આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:44 pm IST)